પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


૭. રિસાલા ફી જવાબ ફી સવાલ અલી ઇબ્ને મુહબ્બદ બિન અબી હૈયાન અલ સુફી ફી હકીકત અલ અદલ : મોહમ્મદ બિન અલી હૈયાન અલ સુફીના ન્યાય વિષયક પ્રશ્નના જવાબરૂપે લખાયેલ પ્રબંધગ્રંથ મશહદ (ઈરાન)ના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.

૮. નદીમ અલ ફરીદ વ અનીસ અલ વહીદ:

૯. રિસાલા મિસ્કવાયહ રાઝી : પારસમણિ વિશે પ્રબંધ

૧૦. અલ ફૌઝ અલ અકબર: નીતિશાસ્ત્ર વિશે, ઈમાન (શ્રદ્ધા) અને માન્યતાઓ વિશે દાર્શનિક ચર્ચા કરી છે.

૧૧. અનસુલ ફરીદ : કાવ્યો, જ્ઞાન અને દર્શન સંબંધી

૧૨. તરતીબ અલ આદાત : નીતિશાસ્ત્ર અને રાજકારણ વિશે

૧૩. કિતાબુલ જામેઅ

૧૪. કિતાબ અલ સેર : નીતિશાસ્ત્ર વિશે

૧૫. કિતાબુલ અશરીયહ: તબીબીશાસ્ત્ર વિશે, યોગ્ય ભોજન સાથે પીણાઓની ચર્ચા

૧૬. કિતાબુલ અદવિયહ અલ મહરદહ : ઔષધશાસ્ત્ર વિશે

૧૭. કિતાબુલ બાજાત મલ અલ અતઅમઅ :

૧૮. કિતાબુલ સિયાસહઃ રાજકારણ વિશે

૧૯. કિતાબુલ શવામિલ : આમાં નૈતિક, શાબ્દિક, દાર્શનિક, ધાર્મિક અને સાહિત્યિક ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

૨૦. તાલ્લુકાત: તર્કશાસ્ત્ર વિશે

૨૧. અલ મકાલાત જલીલા : ફિલસુફીના પ્રકારો અને ગણિતશાસ્ત્ર વિશે

૨૨. કિતાબ અલ મસ્તૂફી : ચુંટેલ કાવ્યપંક્તિઓનો સંગ્રહ

૨૩. જાવેદાને ખિરદ : નીતિશાસ્ત્ર બાબતે ફારસી ભાષામાં ગ્રંથ

૨૪. કિતાબ અલ તબીઈ : તબીબીશાસ્ત્ર, ભોજન પીણા વિશે

૨૫. કિતાબ તરતીબ અલ સઆદાત : નીતિશાસ્ત્ર વિશે