પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૫
 

‘કિતાબ અલ મન્સુરી’ ચિકીત્સાશાસ્ત્રમાં રાઝીનું બીજું મહત્ત્વનું પુસ્તક હતું જેમાં એમણે પોતાના નિરીક્ષણો અને અનુભવોને ટાંક્યા હતા. પશ્ચિમના દેશોમાં 'Liber Medicinalis ad Almansorem'ના નામે અનુવાદ કરવામાં આવ્યો હતો જેને યુરોપની વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવતું હતું.

'કિતાબ તકસીમ અલ ઇલાલ' રોગોનાં કારણોના પ્રકાર પર આધારિત હતું. જેનો લેટીન અનુવાદ 'Liber Divisionum'ના નામે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 'કિતાબ અલ ફખ્રી (Liber pretiosus) પણ લખ્યું હતું.

‘કિતાબ અલ જદરી વ અલ હસબ' ઓરી અછબડાં વિશે હતું. લેટીનમાં 'Liber de Pestilentia' નામે યુરોપમાં પ્રસિદ્ધ થયું હતું.

આ ઉપરાંત તેમણે બીજા પણ મહત્તવના ગ્રંથો લખ્યાં જેમકે 'મેડીસીન્સ ફોર હાર્ટ’ દૃદયની દવાઓ વિશે, અલ-નિકરીસ, અલ-કલંજ, અલ-અગદીયા વગેરે.

એક તબીબ ઉપરાંત અલરાઝી સારા ઔષધશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી પણ હતા. એમણે કેટલાક રાસાયણિક રીએક્શન વિશે પણ ચર્ચા કરી હતી. એમણે અંદાજે ૨૪ જેટલા રાસાયણિક સાધનોની શોધ અને ડીઝાઈન કરી હતી. રસાયણશાસ્ત્રમાં 'અલ અસરાર' મહાન કાર્ય ગણાય છે. આમાં રાઝીએ ઘણા રાસાયણિક સાધનોનો ઉલ્લેખ કર્યો છે, એમને તૈયાર કરવાની અને એના ઉપયોગ વિશે પણ ચર્ચા કરી છે. આનો લેટીન અનુવાદ ક્રેમોનાના જેરાલ્ડે (ઈ.સ. ૧૧૭૮) કર્યું ત્યારથી યુરોપમાં રસાયણશાસ્ત્રનો આધારગ્રંથ તરીકે પ્રચલિત થયું.

એક રસાયણશાસ્ત્રી તરીકે તેઓ સૌ પ્રથમ હતા જેણે બીજા એસિડની મદદથી સલ્ફ્યુરિક એસિડ બનાવ્યું હતું અને ગળ્યા પદાર્થોમાંથી આલ્કોહોલ (દારૂ) બનાવવાની રીત શોધી હતી.

અલ રાઝીએ પોતાના પૂરોગામીઓથી પણ આગળ વધીને પદાર્થોને છોડ, પ્રાણીઓ અને ખનીજોમાં વર્ગીકૃત કર્યા હતા અને આ રીતે કાર્બન રસાયણ અને બિનકાર્બન રસાયણશાસ્ત્રનો માર્ગ તૈયાર કર્યો.

અલ રાઝીએ જેટલા પુસ્તકો લખ્યા એમાંથી અડધા ઉપરાંત તબીબી શાસ્ત્રમાં હતા, આ ઉપરાંત ૨૧ રસાયણશાસ્ત્રમાં લખ્યા હતા. એમણે ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને નેત્રવિજ્ઞાન સંબંધી ગ્રંથો પણ લખ્યા. ઉપર દર્શાવેલ પ્રસિદ્ધ ગ્રંથો ઉપરાંત અલ રાઝીએ અલ મલૂકી, મકાલા ફી અલ હસત ફી કુલ્બી વ અલ મસના,