પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
ઈબ્ને સીના (ઇ.સ. ૯૮૦-૧૦૩૭)

શૈખ હુસૈન બિન અબ્દુલ્લાહ બૂ અલી સીનાનો જન્મ બુખારામાં ઈ.સ. ૯૮૦માં થયો હતો. એમના પિતા અબ્દુલ્લાહ સમાની અમીર નૂહ બીજા (ઇ.સ. ૯૭૬ થી ૯૯૭)ના સમયમાં પોતાના દેશ બલ્બથી બુખારા આવ્યા અને શાસકો સાથેના સારા સંબંધોને કારણે ઊંચા હોદ્દા ઉપર પહોંચ્યા હતા.

વિશ્વમાં જે કેટલાક જીનીયસ મહાપુરૂષો થઈ ગયા તેમાંના એક ઇબ્ને સીના ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની, ફીઝીયોલોજીસ્ટ, ઔષધશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, સંશોધક, ફિલસૂફ અને તબીબ હતા. વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, તબીબો અને ફિલસૂફોમાંથી એક હતા. ઈબ્ને સીનાને પૂર્વના લોકો “અલ શેખ અલ રઈશ' અર્થાત “જ્ઞાન અને ફિલસૂફીના વડા' ના પ્રતિષ્ઠિત ઇલકાબથી યાદ રાખ્યા છે. લેટીન ભાષામાં અને પશ્ચિમી જગતમાં “Avicenna' નામે ઓળખવામાં આવે છે.

ઇબ્ને સીનાએ બુખારામાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. દસ વર્ષની ઉમરમાં કુર્આનમજીદ મોઢે કર્યું. ઈબ્ન સીનાના પિતા અબ્દુલ્લાહ પોતે પણ જ્ઞાનપ્રિય હતા. તેથી તેમણે મહેમૂદ સૈયાહ નામના ગણિતશાસ્ત્રી પાસે ગણિત શીખવા માટે ઇબ્ને સીનાને મોકલ્યા હતા. આ દરમિયાન અબ્દુલ્લાહ નાતલી નામના વિદ્વાન પાસેથી ઇબ્ને સીનાએ તર્કશાસ્ત્ર, ફિલસૂફી, ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઇબ્ને સીનાએ પોતે જ તબીબી શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલું જ નહીં એમાં નવા નવા સંશોધનો પણ કરવા માંડયા. ઇબ્ને સીનાએ દવાખાનું ખોલ્યું હતું અને દુરદુરથી લોકો ઇલાજ માટે આવતા હતા, ત્યારે એમની વય માત્ર ૧૬ વર્ષની હતી. એક વર્ષ પછી જ્યારે બુખારાનો બાદશાહ નૂહ બિન મન્સૂર બીમાર પડી ગયો ત્યારે એની સેવામાં ઘણાબધા વૈદ્યોની કતાર લાગી હતી પરંતુ કોઈના ઈલાજથી બાદશાહ સાજો થતો ન હતો. એ વખતે કોઈએ ઈબ્ન સીનાને બાદશાહનો ઈલાજ કરવા દરબારમાંથી તેડું મોકલ્યું. ઇબ્ને સીનાએ બાદશાહનો સફળ ઇલાજ કર્યો જેના શીરપાવ રૂપે બાદશાહે શાહી પુસ્તકાલયના વહીવટકર્તા તરીકે ઇબ્ને સીનાની નિમણૂંક કરી હતી.

આ પુસ્તકાલયમાં ઘણા કિમતી પુસ્તકો હતાં. ઇબ્ને સીનાએ અહીં અધ્યયન કરી પોતાના જ્ઞાનમાં વધારે કર્યો હતો. જ્યારે ઇબ્ન સીના ૨૨ વર્ષનો થયો ત્યારે