પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સામળભટ

સંસારી વાર્તાઓ રચનાર એક મહા કવિ.


નંદબત્રીશી
ચોપાઈ.

શ્રી શારદાને નમાવું શિષ, આરાધું ઉમયાપતિ ઈશ;
શ્રી ગણપતિના પૂજું પાય, જેથી કામ સકલ સિદ્ધ થાય. ૧
શ્રી ગણપતિ ને શ્રી રણછોડ, આરાધું બેહૂ કરજોડ;
બટુકનાથ મોટો મહારાજ, લક્ષવસા એ રાખે લાજ. ૨
નોધારાની વહારે ચઢે, સંકટ સમયે આવી અડે;
બહુચર માતની કરુણા ઘણી, કહું કથા નંદબતરીશીતણી. ૩
કવિતા સહૂતણો પરતાપ, ભૂલચૂક સહુ કરજો માફ;
બ્રાહ્મણ ભાટ ચારણ સહુ વરણ, વંદુ શ્રી હરિકેરાં ચરણ. ૪
પદબંધ ચાતુરી લિલાવિલાસ, કહે કરજોડી સામળદાસ.

દોહરા.

પશ્ચિમ દિશાએ નન્દનગર, નન્દસેન રાજાન;
રાજ્યકાજ અધિકાર છે, વૈલોચન પરધાન. ૫
તે રાજા ઘણો શિળગુણી, ભોજસમો દાતાર;
કોકસમાને રુપ છે, કામતણો અવતાર. ૬
સકલશાસ્ત્ર જાણે જુક્તિસું, ચતુર શિરોમણિ સ્હોય;
હંસાનગર નાટક વિષે, નહિ સમોવડ કોય. ૭
મહાભક્ત ભગવાનનો, કામ સમાને રુપ;
અવિદ્યા એકે નહીં, શિલવંત ભડ ભૂપ. ૮
મદ પ્રમાણે મલપતો, છે ઈશ્વર સમ તેજ;
પરજા પાળે પ્રીતશું, સહુથી રાખે હેજ. ૯