પૃષ્ઠ:Nandbatrisi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેહ વજીરે વાંચિયું, લખિયો છેલ્લો ભેદ;
પ્રધાન- અજા બાપડી શું કરે, સિંહસું રાખી ખેદ. ૪૧૨
પુત્ર મિત્ર વહાલા નહીં, નહીં સ્વારથકે દામ;
પંડિત પ્રિય વહાલા નહીં, જ્યારે પ્રગટ્યો કામ. ૪૧૩
સત્ય શીલ ડહાપણ ગયું, જાયે નિર્મળ નામ;
સત્ય પાણી વહેતું રહ્યું, જ્યારે પ્રગટ્યો કામ. ૪૧૪
નાત જાતનો ભય નહીં, ગોત્ર નહીં ગુણગ્રામ;
રાજા પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રજાનો કામ ૪૧૫
જુએ ન મરદ ન મેરી એ, જુએ ન શિવ કે શ્યામ;
આત્માનાત્મા નવ જુએ, જ્યારે પ્રગટ્યો કામ.૪૧૬
સુખ નહિં સૂતાં સેજડી, સુખ નહિ આઠે જામ;
જળ ભોજન નિદ્રા નહીં, જ્યારે પ્રગટ્યો કામ.૪૧૭
ગમે ન ઘર પુર મેડિઓ, ગમે ન ઉદ્યમ ઠામ;
ગમે ન વાત વિદ્યાતણી, જ્યારે પ્રગટ્યો કામ.૪૧૮

ચોપાઇ.

એવાં લખ્યાં પ્રધાન વચન, તે રાજાને લાગ્યાં મંન;
કોઈ કોઇને મુખે નવ કહે, લખી પટાંતરે છાના રહે.૪૧૯
રાજા કહે લખું એક વાર, જો મૂરખ મૂકે અહંકાર.

દોહરા.

રાય- કમળ જળમાં નિત્ય રહે, નિમેષ, ન ભેદે નીર;
કામ ન ભેદે તેહને, જેનું શુદ્ધ શરીર. ૪૨૦
જીભને ચિકટ અડે નહીં, સોને ન અડે શ્યામ;
ગુણને અવગુણ નવ અડે, જ્ઞાનીને નવ અડે કામ. ૪૨૧
નીરને અજ્ઞિ નવ અડે, દુષ્ટ હ્રદે નહિ રામ;
લોભને લાજ અડે નહીં, જ્ઞાનીને ન અડે કામ. ૪૨૨
બ્રહ્મને કર્મ અડે નહીં, સંતોષીને ન અડે દુ;ખ;
જોગીને ભોગ અડે નહીં, રોગીને ન અડે સુખ. ૪૨૩
અરુણને તિમિર નવ અડે, સિદ્ધને નવ અડે શાપ;
સિંહને શિયાળ અડે નહીં, પરિબ્રહ્મને ન અડે પાપ. ૪૨૪
વેદને ભેદ અડે નહીં, ખળને ન અડે સત્ય;
સાચાને જૂઠ અડે નહીં, જો પ્રભુ રાખે પત્ય.૪૨૫