પૃષ્ઠ:Nandbatrisi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોપાઇ

અબળા બળતી હતી જેટલે, કાને વચન સુણ્યું તેટલે;
કલંક મારે માથે કહ્યું, અરે દૈવ આ તે શું થયું. ૫૪૧
અગ્નિમાંથી ઊભી થઈ, કર જોડીને વાણી કહી;
સાંભળો સહુ નગરનાં લોક, વજીરનો સમે કેમ શોક. ૫૪૨
શી વાતે એ માને મૂઢ, પૂછો એ પાપીને પ્રૌઢ;
મહેલી માન કેમ શૂળી ચઢે, એને મન કેમ અચર જ અડે. ૫૪૩
એની કેમ હોલાએ દાઝ, તે પ્રતીત દેખાદું આજ;
સાચું તેમાં સઘળું જોર, જૂઠું તે તો ચિત્તમાં ચોર. ૫૪૪
સહુકોએ પૂછ્યું પરધાન, ઉતારીએ માનિનીનું માન;
તું કહે તે સર્વે કરે એહ, તો સાચી નારીને દેહ. ૫૪૫
પછે વાત માનો નહિ તમો, પંચ ઇટાળી કરશું અમો;
સાચાનો પરમેશ્વર બેલ, જૂઠાતણો વળી શો મેળ. ૫૪૬
એહ વાતનો પાર જ લઉં, પછે શૂળીએ તમને દઉં.

દોહરા.

વૈલોચન કહે સહુ સુણો, સાચી હોય જો આપ;
સતી જાણું હું એહને, જીવે રાયનો બાપ. ૫૪૭
સાચું હશે તો ઊઠશે, સજીવન રાયજી થાય;
તો મન માને માહરું, એ સતવાદી કહેવાય. ૫૪૮
ટાઢાં તેલ ઉનાં કરે, ઊનાં શીતળ હોય;
જળને સ્થાનક સ્થળ કરે, પાર ન પામે કોય. ૫૪૯
બ્રહ્માંડ બાંધે ભાગે ઘડે, આપ છે અકળ સ્વરૂપ;
પતિત મુજને સાચી પડે જો એ જીવે ભૂપ. ૫૫૦
ત્યાર વિના માનું નહીં, સાચો અક્ષર અંક;
જો રાજા થાય જીવતો, તો માનું મુજ વંક. ૫૫૧
(પછે) પંચ ઇટાળી સહુ કરો, મારો મુજને ઠાર;
એને વધાવજો મોતીએ, છે સાચો વહેવાર. ૫૫૨
બાકી પતિત દેખાડવી, એતો આળપંપાળ;
કરે મુવાને જીવતો, એવો દીનદયાળ. ૫૫૩