પૃષ્ઠ:Nandbatrisi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લક્ષ્મી અનર્ગળ લીધી ઘણી, આજ્ઞા માગી મહિપતતણી;
પ્રધાન ચાલી કચ્છમાં ગયો, રાજાને મન ઓચ્છવ થયો. ૯૦
અરુણા અસ્ત પડી છે રાત, રાયે વિચાર્યું હૃદિયા સાથ;
બીજા કોઇને નવ કહિ વાત, આપે એકલો ચાલ્યો જાતો જાત. ૯૧
ક્યાંહાં નર ને વળિ કહિયે નાર, જારને મન શાનો વિચાર;
પહોંચે કે નવ પહોંચે હામ, કરે મનનું ગમતું કામ. ૯૨

श्लोक.

कामातुराणां न भयं न लज्जा ह्यर्यातुराण्यां न अ बंधुमित्रम् ।
इंतातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न बलं न तेजः ॥९३॥

ચોપાઈ.

જાર બુદ્ધિ જેને મન વસી, લાજ મર્યાદા તેને કશી;
ગુણિકાને મન શેની લાજ, આળસુને મન શેનું કાજ. ૯૪
ભિક્ષા તેને શાનો ભોગ, જોરાવરી તે શાનો જોગ;
ભંગીને મન શેની નાત, વ્યસનીને મન શાની જાત. ૯૫
મદ્યપાન પીએ તે શાનો પવિત્ર, ભૂંડું ત્યાગે તે શાનો મિત્ર;
અકરમીને મન ઉદ્યમ કશો, સૂમ હોય તો શાનો હશો. ૯૬
શેઠાઈમાં તે શાનું સત્ય, પટેલાઈમાં શાની પત્ય;
પરમારથમાં શાનું પાપ, સિદ્ધાઈ ત્યારે શાનો શાપ. ૯૭
સત્ય વિના તે શાની સતી, પીડા દે તે શાનો પતિ;
સંતોષીને શાનું દુ:ખ, ધન વિના તે શાનું સુખ. ૯૮
દાતાને મન શાનું ધન, શૂરાને મન શાનું તન;
ભામિની ભલી વિના શો ભોગ, શુદ્ધ ચિત્ત વણ શાનો જોગ. ૯૯
દરિદ્રી હોય ત્યાં ડહાપણ કશું, પુત્ર વિના ઘર સૂત્ર જ કશું;
નાત નહિ ત્યાં શેની રીત, હેત વિના તે શાની પ્રીત. ૧૦૦
ગુણ વિના તે શાનું રુપ, પ્રજા પીડે તે શાનો ભૂપ;
વિવેક વિના તે શી વિદ્યાય, નિર્લજને મન શી નિંદાય. ૧૦૧
કંઠ વિના તે શાનું ગાન, જર વિના તે શાનું જાન;
દયા વિના તે શાનું દાન, મોટમ પાખે શાનું માન, ૧૦૨
હરિજનને શાનો સંસાર, ખરી વાતમાં શાનો ખાર;
કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી. ૧૦૩