પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 





'નારી પ્રતિષ્ઠા'ની પ્રસ્તાવના
(પ્રથમાવૃત્તિની)


લગ્નનો વિધિ પૂરો થાય છે ત્યાં સુધીનો વિષય જુદા જુદા ૮ અંકોમાં "ગુજરાતી"માં પ્રસિદ્ધ થયેલો તે સંભાવિત વિદ્વાનોને પસંદ પડવાથી, બાકી રહેલો પુનરુદ્ધાહનો ભાગ ઉમેરી આ રૂપે પ્રસિદ્ધ કર્યો છે. નારી જાતિની સ્થિતિ, અને પુનર્લગ્નનો સૂક્ષ્મ પ્રસંગ એ ઉપર વિચાર કરતાં અત્રે જે જણાવ્યા છે તે સિદ્ધાન્તરૂપે લખેલું પુસ્તક ત્રણ વર્ષ સુધી મારી પાસે રહ્યું: તે એવા વિચારથી કે વિશેષ અનુભવથી કરી એ વિચારો વધારે પાકા ઘડાય. મારા વિચાર હતા તે જ વિશેષ દૃઢ થયા છે, ને તેમ થવામાં મેં આ પુસ્તક આજ સુધી કોઈને બતાવ્યું નહિ તે કારણ પણ હોઈ શકે એમ સમજી પુનર્લગ્ન વગેરે બાબતની ધામધૂમ થઈ રહી છે તેને પ્રસંગે આ પુસ્તક બહાર પાડવા મેં ગોઠવણ કરી છે. આમ કહેવાથી એમ આશા રાખું છું કે જે વિદ્વાનો આ પુસ્તક જુએ તેઓએ પ્રસિદ્ધ રીતે એ ઉપર ચર્ચા ચલાવવી કે હું મારા વિચારોની સારાસારતા જોઈ શકું. આવા વિષયોનું નિષ્પક્ષપાત અને નિરભિમાનથી વિવેચન થવું જોઈએ; અને તેમ થાય તેમાં જેમ હું મારા વિચાર ખોટા જણાયેથી ફેરવવાને તત્પર છું તેમ સર્વેએ રહેવું અને સત્ય માત્રને જ શોધવું એ મારી પ્રાર્થના છે.

નડીઆદ તા. ૧ અક્ટોબર ૧૮૮૫ મ. ન. દ્વિવેદી