પૃષ્ઠ:Niharika.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિધવા


૦ વસંતતિલકા ૦

ભાલે ન ચંદ્રક, ન કંકણ હસ્ત માંહય;
ધાર્યું શરીર પર વસ્ત્ર જ એક શ્વેત;
ચક્ષુ જડ્યાં ક્ષિતિજમાં, ખસતાં ને ત્યાંથી;
ભાળી રહી પૃથિવી પાર ગયેલ પ્રિય !
 
સ્વસ્તિક નિર્જીવ સમો કરનો ય વાળી
ઊભેલી આરસ તણી પૂતળી શી બાળા !
શું એ હશે જડ?– ન સુન્દરતા કદી યે
ચૈતન્ય વિણ જગમાં નજરે ય આવે.
 
ચૈતન્ય એ જડ મહીં બદલાયું લાગે;
એક સ્થળે તન અને મન તીવ્ર ચોટ્યાં;
હાલે ન કાંઈ પણ માત્ર જ વસ્ત્ર હાલે;
કે કો ક્ષણે ત્વરિત પાંપણ હાલતી'તી.
 
આકાશ મધ્ય થકી સૂર્ય ઢળી જઈને
રોતાં ૨તાશભ૨ કિરણ રેલાતો’તો.
ગાલે ઝીલી લગીર રશ્મિ સુબાલ જાગી ?
કે કંઠથી અસીમ દુઃખ પુકારી બોલ્યું ?

લલિત ]

‘નયન વાટડી શી નિહાળવી?
નચવતી હવે મૂર્તિ તે ગઈ.

૧૧૪ : નિહારિકા