પૃષ્ઠ:Niharika.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંગ્રામ કાજ ધનને વળી માનવીના
અબ્જોની આહુતિ હવે બનશે નિરર્થ.


ભૂખે પીડ્યા લાખો ગરીબ કરમાં અન્ન પડશે,
શીતાગ્નિથી ધ્રૂજ્યાં કંઈક શરીરે વસ્ત્ર અડશે,
મહારોગે દાઝ્યાં, પીડિત વળી ઝેરી જ્વર થકી
કંઈ લાખો ભાંડુ તણી અનલજ્વાલા અટકશે.

કાવ્યો માંહે નવ ચમકશે અશ્રુધારા હવે તો,
ગીતો માંહે કરુણ લય ને સૂરની ઓટ થાશે;
ચિત્રો માંહે હૃદયચીસ કે દૈન્યના ભાવ દોરી
રંગો સંગે રુદન કરશે ચિત્રકારો હવે ના.

ભાવભીના જગે હવે સ્નેહ ઉલ્લાસ જાગશે,
સ્વર્ગને પાથરે નક્કી માનવી પૃથિવી પટે !


૪ આશાના ખંડેર

ગર્જી ગયો મેહ, પરંતુ બિંદુ
છાંટ્યું ન એકે ધરતી લૂખીમાં.
કોકિલ ટહુકી ક્ષણ આમ્રડાળે,
ઉલુકવાણી નભ ફોડી જાગી.

પ્યાલો સુધાનો મુખ માંડતામાં
ઊઠી મહા ઝેર તણી વરાળ.
પુષ્પ તણી સેર ગળે વીંટાળી–
ડોલી રહી નાગફણા ત્યહાં તો

સંગીતના સૂર બન્યા બસૂરા;
સિતાર તારે નવ મેળ જામ્યો;

જલિયાવાલા બાગ :૧૫૯