પૃષ્ઠ:Niharika.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નોંધ

નિહારિકા : ‘આકાશમાં ફરતા હવામય તેજસમૂહહો-જેમાંથી ધનાવસ્થા પામી ગ્રહો વગેરે બન્યા કહેવાય છે.’ (સાર્થ ગૂજરાતી જોડણી કેશ ).

મારા મિત્ર શ્રી વિજયલાલ કનૈયાલાલ ધ્રુવના સમાગમે વર્તમાન વિજ્ઞાન તરફ ઉપજાવેલા રસનું આ કાવ્ય પરિણામ છે. ઘટ્ટતા વધે તેમ તેમ મૂળ ફરતા પદાર્થમાંથી કંઈક અંગો છૂટાં પડી જાય છે. તારા, નક્ષત્ર, રાશિ, ગ્રહ એ પરિણામ.

તેજતિમિર, અગ્નિશૈત્યનાં પ્રાથમિક અકલ્પ્ય મંથનોમાંથી ધીમે ધીમે સ્થિરતા અને ઘટ્ટપણું પ્રાપ્ત કરતી સૃષ્ટિમાં અંતે માનવી વિકસી આવે છે એ ભાવના કાવ્યમાં આલેખી છે.

કાવ્યનો લય-લાવણી–ટાગોરના ‘ભારત ભાગ્યવિધાતા’ કાવ્યના કેટલાક ટુકડાઓ પ્રમાણે.

ખદ્યોત : આગિયો.

નિખિલ : બધે-વ્યાપક.

અહં-સ્વભાન : Consciousness.

ઇંધન ખૂટ્યાં હો ! : પ્રજાજીવનમાં ઓટ આવતાં મુક્તિયજ્ઞ માટે સર્વસ્વ-જાન સુદ્ધાં હામી દેવાનું આવાહન.

ધૂમકેતુ : બંડખોર માનસને વ્યક્ત કરતી ભાવના ધૂમકેતુની

૧૬૮ : નિહારિકા