પૃષ્ઠ:Niharika.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચર્યામાં ગૂંથી છે. બંડ પણ જીવનનું એક આવશ્યક અંગ છે.

કંકણ ખણખણતી વાન : શનિની આરપારા કંકણ સરખાં વર્તુલ હોય છે.

વળી ભાલે ચ્હોડ્યા ચંદ્ર : પૃથ્વી જેવા કેટલાક ગ્રહોને ઉપગ્રહચંદ્ર હોય છે.

ઝબકે રંગીન પરિધાન : મંગળ, બૃહસ્પતિની રંગશોભા જાણીતી છે.

દાશરથી : દશે દિશામાં જેને રથ ફરી શકે છે તે–સ્વતંત્ર.

શ્વેતકેતુ : ધોળો ધ્વજ-તારાની સાથે જોડાયેલું વિસ્તૃત તેજવાદળ, જેના ઉપરથી ધૂમકેતુ પૂંછડિયા તારા તરીકે ઓળખાય છે.

ઘેલી ગોપી : આપણાં ગીતોમાં સંવાદ-પરસ્પર વાતચીત પણ ગોઠવાયેલી હોય છે. દૃષ્ટાંત તરીકે નવરાત્રમાં શેરીએ શેરીએ એક વખત ગવાતું ‘તમે અજાણ્યા અમે જાણીએ રે!’ કયો પક્ષ શું બોલે છે તે ગીત સાંભળીને સમજી લેવાનું હોય છે.

પહેલી, સાતમી અને આવર્તનની લીટીઓમાં પ્રશ્ન છે. તેના ઉત્તર કૃષ્ણમય બનેલી ગોપી આપે છે.

રસડોલન : મારાં શક્તિહૃદય નાટકમાંનું આ પણ એક સંવાદગીત છે. અવતરણચિહ્નમાં પ્રશ્નોત્તર સમજાય એમ મૂક્યા છે.

નિરાશા : ‘યારકી કોઈ ખબર લાતા નહિ.’ એ ઉર્દૂ ગઝલનો અનુવાદ છે. મારા એક સદ્‌ગત મિત્ર છોટાલાલ ર. ભટ્ટ એ ઉર્દૂ ગઝલ બહુ સુંદર રીતે ગાતા–તે વખતે ગુજરાતીમાં કંઈક ભાવ ઉતાર્યા હતા.

પતન : સાધુને પણ તપભંગના પ્રસંગ હોય છે. એવા પ્રસંગને અનુલક્ષીને આ ગીત ઉદ્ભવ્યું હતું, જે મેં ‘શક્તિ હૃદય’માં એવા જ પ્રસંગ માટે ઉતાર્યું. આમાં ટીકા નથી, માત્ર વિષાદભરી પૃચ્છા-સમભાવભરી પ્રશ્નમાલા જ છે.

૧૬૯ : નિહારિકા