પૃષ્ઠ:Niharika.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ તેજ છો પળ રહી પછીથી વિલાય !
શું કોઈના નીકળશે નૂર ઝીલનારો ?


ભલે ન ઝિલાય પ્રકાશ મારો,
અજ્ઞાત છો ત્યાગ તણે ઝગારો;
ઘસી પરાર્થે નિજ જિંદગીને
ઉજાળું હું મૃત્યુતણો કિનારો !’


રડ્યું માતસોડે સૂતું બાલ કાલું,
વીંધી નાખતા સ્નેહનું ગૂંથી જાળું;
૨ખે જાળમાં પાય મુકાઈ જાતો,
વિચારી મહાત્મા ગૃહેથી વિલતો.


માનવીના મિનારેથી ખર્યો તેજસ્વી તારલો
ઝગે છે જ્યોતિરેખામાં આજે યે આત્મઆહુતિ.

બુદ્ધનો ગૃહત્યાગ : ૩૫