આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ તેજ છો પળ રહી પછીથી વિલાય !
શું કોઈના નીકળશે નૂર ઝીલનારો ?
ભલે ન ઝિલાય પ્રકાશ મારો,
અજ્ઞાત છો ત્યાગ તણે ઝગારો;
ઘસી પરાર્થે નિજ જિંદગીને
ઉજાળું હું મૃત્યુતણો કિનારો !’
રડ્યું માતસોડે સૂતું બાલ કાલું,
વીંધી નાખતા સ્નેહનું ગૂંથી જાળું;
૨ખે જાળમાં પાય મુકાઈ જાતો,
વિચારી મહાત્મા ગૃહેથી વિલતો.
માનવીના મિનારેથી ખર્યો તેજસ્વી તારલો
ઝગે છે જ્યોતિરેખામાં આજે યે આત્મઆહુતિ.
બુદ્ધનો ગૃહત્યાગ : ૩૫