પૃષ્ઠ:Niharika.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હૈયે ઊછળતા ઊભરા ના
આખરે ઢોળી શકું.

બળથી હું બોલું તો ય, ઘેલાં,
અશ્રુ ક્યમ ?...નવ ઢાળશો.
પ્રભુ મોકલે આમnત્રણો
તેને શું પાછાં વાળશો ?

દીપક પણે ઝાંખો બળે,
ગૃહ શૂન્ય શાન્ત બની રહે,
જગ ભૂલતા કર્ણે કદી
શ્રી રા મ ના મ ધ્વ નિ વહે.

ઊંડાં ઊતરતાં આત્મચક્ષુ
ભૂત જીવન નીરખતાં;
અંધારભર ભાવિની મૃત્યુ-
ચા વી ને અ વ લો ક તાં.

બહુ પાપના પુંજે ચમકતી
પુણ્યની ઝીણી કણી;
જાણું ન ભાવિ જીવનને
ક્યમ દોરશે જ્યોતિભણી.

કો રત્ન અંગુલી દોરતી
ઘન તિમિરને અજવાળતાં;
ખેંચાય મારા પ્રાણ
અણભાળ્યા પ્રદેશો ભાળતાં.

હોલાય તેજ ભલે અહીં !
એ ઊઘડશે અન્ય સ્થળે;

૫૪ : નિહારિકા