પૃષ્ઠ:Niharika.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પૂછે છે પરબ્રહ્મ વિસ્મિત બની;
ત્યાં બોલી જાદુગરી.

‘હું શક્તિ સ્વરૂપા, ન કેમ પ્રીછતા,
અર્ધાંગના આપની ?
માયામોહિનીરૂપ ભિન્ન બની હું –
એ સિદ્ધિ સંકલ્પની.’

ઇચ્છયું એક અનેક રૂપ બનવા,
ત્યાં ક્યાંથી આ મોહિની ?
ચાહ્યું વિસ્તરવા સ્વરૂપ, પછી ત્યાં
શોભા શી આ દ્વૈતની ?

‘ના, ના, ના મુજ વૃત્તિ અન્ય બનવા !
સંકલ્પ જુઠ્ઠો પડે;
ભૂલ્યો શું પ્રભુતા ? અરે, કવણ આ
સૌન્દર્યમૂર્તિ ઘડે ?

ના ખેંચો મુજને અકથ્ય બલથી,
હું ડૂબતો, તારીણી !’
શંકાશીલ પ્રભુ તણો કર ગ્રહી
બો લી મ નો હા રી ણી

‘આ શું ભાન ભૂલ્યા ? ન ઓળખ પડે ?
હું તે તમે નિશ્ચલ.
આપ હસ્ત; અનેka મૂર્તિ નિજની
સ ર્જા વ શું નિ ર્મ લ.”

૬૪ : નિહારિકા