પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એને કોણ પરણે?
107
 


સરયુની થાકેલી પાંપણોએ નીચા નમીને વિસામો ખાધો.

નિરંજનને થયું કે સરયુ હારી.

“કાં સરયુ,” કોઈએ બહારથી સાદ પાડ્યો, “આજે ફરવા ક્યારે નીકળવું છે?”

"આજે મારે નથી આવવું, મામા!” સરયુએ જવાબ આપ્યો.

સરયુના મામાને જોવા નિરંજન ઊંચો થયો. એણે એક ભયંકર આદમી દીઠો. ઉંમર પાંત્રીસ-ચાલીસની માંડ હશે; પણ ચહેરાને ઘડતાં ઘડતાં બ્રહ્માને કોણ જાણે ગૃહક્લેશ થયો હોય, કે પછી વિશ્વની વેઠ કરી કરી કંટાળો આવ્યો હોય કે પછી માટી જેવી જોઈએ તેવી મુલાયમ ન બની હોય; એથી કરીને ખિજાઈને બ્રહ્માએ આ ચહેરાને મુક્કીઓ મારી મારી છૂંદી નાખેલો હશે.

"તમારા મામા છે?” નિરંજનને નવાઈ લાગી.

“મારાં નવી બાના ભાઈ.” નિરંજનને યાદ આવ્યું. જેને દેખીને બહેન રેવાને જીવલેણ તાવ છે ચડ્યો હતો તે જ આ મામા હોવા જોઈએ. એનાથી બોલાઈ ગયું:

"એણે જ મારી બેનને મારી નાખી ! ના, એનું વેર –"

“મારા ઉપર જ વાળી રહ્યા છો ને?” સરયુએ કહી નાખ્યું.

"એમ કે? મને દેખીને તમને તાવ ચડે છે કે? જીવલેણ તાવ ચડે છે? તમને પિશાચ લાગું છું કે? એમ હશે તો નહીં આવું. મારે એ વેર નથી વાળવું.”

કહેતો કહેતો નિરંજન ઊઠ્યો. ચાલ્યા જતાં જતાં એણે એક-બે વાર ચમકીને પાછળ જોયું, એને લાગ્યું કે જાણે સરયુ એને મનાવતીમનાવતી ચાલી આવે છે. 'ભલ થઈ, ભૂલ થઈ’ કહે છે.

પણ એવું કશું જ નહોતું. બંગલાની બહાર નીકળીને એણે જોયું. તો સરયુ હજુ એ જ અભ્યાસખંડની બારીએ આકાશને જોતી જોતી બેઠેલી છે.

દીવાનના બંગલાથી એક રસ્તો ગામ તરફ જતો, ને બીજી સડક