આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
રાજ્યારોહણ.
( શિખરિણી )
હજારો વર્ષોના રવિ શશી ઊગ્યા આથમી ગયા;
અખંડજ્યોતે એ હજી ગગનદીપો તપી રહ્યા;
અને ત્હેં તો નાનાવિધ અનુભવો શા અનુભવ્યા,
દૃઢા દિલ્હી ! શા શા નૃપ તુજ ઉમંગે રમી શમ્યા ! ૧
( *[૧]નિશાણી પેડી.)
જો ! પાંડવ કૌરવ રમણ ચઢાવી,
ચન્દ્રવંશને બહુ દીપાવી,
લુપ્ત કર્યા નિર્વાણ વિશે સહુ
ઉદય અસ્ત પલટાવીને. ૨
ને અનંગપાળ તુવાર ગવાયો
તે પણ તિમિરપટે જ સમાયો,
વંશ અનેક ગયા ભૂસાઈ
ચિત્રપટે ચીતરાઈને.
૩
- ↑ * આ છંદ માટે રણપિંગળ ભાગ ૩ જો પૃષ્ઠ ૧૩ર-૧૩૩ જુવો.
સ્થૂલ વરૂપ આ પ્રમાણે છે :– પ્રથમ ચરણ ચરણાકુલના ચરણમાં
આરમ્ભમાં ઉમેરેલી બે માત્રાવાળું (અર્થાત્ - હેમાં ત્રીજી માત્રાથી તાલ);
બીજું તથા ત્રીજું ચરણ ચરણાકુલ છંદનું કરવું; અને ચોથું ચરણ
ત્રિજા સાથે બોલતાં સવૈયાનું ચરણ બને એમ કરવું; એ ચરણમાં
છેવટે મગણ આણવો.