આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭
શ્લોક ૨૦.
સુખબન્ધ — સુખની ગૂંથણી; બંનેના અન્યોન્ય હૃદયમાં વસવાથી જણાતો પ્રેમ-તે જ સુખબન્ધ.
શ્લોક ૨૧, ચરણ ૨.
જગજન સાથે સંપ કરીને તે પણ મ્હને તજેછે કે શું ? મૌન ધારે બોલે નહિં-એટલે તજી જ ગણાય.
ચરણ ૩. બન્ધ — સ્નેહનો બન્ધ; સ્નેહની ગ્રન્થિ.
શ્લોક ૨૧—૨૪.
વીણાને ગાવાનું સૂઝતું નહિં હોય; ઘણીવાર ગાનારાઓને ‘શું ગીત ગાઉં ? એમ સંકોચ થઈ આરમ્ભ કરી શકાતો નથી એમ અનુભવ થાય છે; તેમ વીણાને થયું હશે;– આમ માની હેને ગાનના. વિષયો, અને ગીતના નમૂના, આ શ્લોકોમાં સૂચવે છે.
શ્લોક ૨૪, ચરણે ૨,
ભાવના (ideal )ના રસનો એ વિષયો ઉપર ઢોળ ચઢાવીને ગા; કેવળ ભાવનાહીન શુષ્ક વિષયમાં રસ ના હોય.
ચરણ ૪. “હા! એમ ?” આ બોલેછે ત્હેની પૂર્વેક્ષણે એકાએક વીણમાંથી મધુર સ્વર નીકળેછે (અલબત યુવતીના વગાડવાને
પરિણામે જ; પણ વગાડવાનો પ્રયત્ન કરતા છતાં આયાર સૂધી