આ કાવ્યમાં પૂર્ણ ચાર ચરણના શ્લોક બન્યા પછી ‘ઘુવડ
બોલ્યો — કદી નહિં !’ વગેરે છૂટક ચરણો આવ્યાં છે ત્ય્હાં ઘણું
કરીને સર્વત્ર ૧૨ માત્રાનાં જ ચરણો રાખ્યાંછે ત્હેનું કારણ પણ
કાંઈક આ રીત્યનું જ છે, તે રસિકજનો યથાસંભવ વિચારી લેશે.
તે જ રીતે ૨૧ મા શ્લોકમાં બીજું જ ચરણ ૧૪ માત્રાનું કર્યુંછે,
કેમકે એ કલાક બીજા ચરણથી જ સમાપ્ત કર્યોછે.
ખંડ હરિગીતનાં પ્રથમનાં બે ચરણમાં અંતે બે માત્રા જેટલો વિરામ ઉત્પન્ન થાય છે (પછી આવનારા ચરણમાં આરમ્ભની બે માત્રા ગાળવાને લીધે અથવા બીજી રીભે બોલતાં, તાલ પ્રથમની માત્રાથી જ શરૂ કરવાને લીધે); તેથી છંદમાં એક પ્રકારની ઉત્સુકતાનું સ્વરૂપ ધ્વનિત થાય છે, તે સાથે છન્દના નર્તનમાંથી અતિ સરલ પ્રવાહ કાંઈક ઈષ્ટ રીતે ખણ્ડિત થાય છે. આ ઈષ્ટ પરિણામ આવવાની સાથે સાધારણ હરિગીતથી સાચી વિલક્ષણતા (ઉપર બતાવ્યા પ્રમાણે) સચવાય છે. આ ઉપરથી જણાઈ આવશે કે નવો છન્દ યોજવામાં આવશ્યક અંગ કાં તો છન્દના સ્વરૂ૫સાધક અંશ જેને રા. કેશવલાલે પોતાના “પદ્ય રચનાના પ્રકાર” વિશેના અનુપમ ચાતુર્યવાળા નિબન્ધમાં[૧] સંધિ એમ નામ આપ્યુંછે તે સંધિની અપૂર્વતા તે છે, કે કાં તો તે જ સંધિને બીજભૂત લઈને હેનાં
સંયોજનોમાં આવતી વિલક્ષણતા તે છે. અહિં પ્રસંગ આ બીજા પ્રકારના- ↑ * બુદ્ધિપ્રકાશના ઈ. સ. ૧૯૦૮ ના જાન્યુઆરીથી એપ્રિલના અંકમાં જુવો.