આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
પ્રકૃતિ ઘન અંધારમાં
ચાલી અનન્તપણુ ભણી;; ૫
કય્હાંથી આવી? કય્હાં જશે?
હેતુ ઉડો હશે ?
વિસ્મયે પૂછું અહિં;
ઉત્તર પૂરો મળશે કહિ?”
ઘુવડ બોલ્યો – “કદી નહિ !" ૬
કદી નહિ?—એ શી સુણું
વાણી કય્હાંથી કારમી?
મૌન ફરી રજનીતણું
વ્યાપી રહ્યું મુજને દમી ૭
ખંડશિખરિણી)
“મધુર મૃગતૃષ્ણા જગતણી
સતત લલચાવે નિજ ભણી,
અને દોડું વેગે અમૃતસમ પીવા જળ તહિં;--
તૃષા મ્હારી શું ત્ય્હાં કદી શમિત થાશે સુખ લહી ?”
–ઘુવડ વદતું ત્ય્હાં—“ કદી નહિ !" ૮
ખંડહરિગીત.)
“ઘુવડ કાળા થા પરું !
પ્રશ્ન નવ પૂછું ત્હને.”