પૃષ્ઠ:Palkara.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
પલકારા
 

શેઠે ખબર આપ્યા : "પ્રોફેસર સાહેબ ! આપને મળવા માટે આપણી સરકાર તરફથી એક પ્રતિનિધિમંડળ આવેલું છે.”

“મને મળવા ? શા માટે ?

“માનપત્ર અર્પણ કરવા.”

"મને ! મને માનપત્ર ?" જાણે કે પોલીસ જ પકડવા આવી હતી અને પોતાની છેલ્લી મશ્કરી થઈ રહી હતી. “

"જી હા, આપની નવી રસાયન-શોધોની કદર સારુ. પ્રજાને આપે ઉત્તમ ઔષધિઓ તથા પીણાં પૂરાં પાડ્યાં છે તે સારું.”

"મેં ?”

“જી હા, આપે.”

એટલામાં તો દેશના સર્વશ્રેષ્ઠ સરકારી અધિકારીઓનું તેમ જ વિજ્ઞાનવેત્તાઓનું મંડળ આવીને હાજર થયું. તેઓએ એક માનપત્ર વાંચ્યું. માનપત્રનો કાગળ મોતીજડિત દાબડામાં મૂકીને અર્પણ કર્યો.

દિગ્મૂઢ જેવા બનેલા માસ્તર સાહેબે એ દાબડો હાથમાં લીધો. એણે આ વિશ્વનું સાચું વિરાટ સ્વરૂપ દીઠું, એની આકુલ વ્યાકુલ ચેષ્ટાઓથી વિસ્મય પામતા મહેમાનોને ધનપતિએ છાનો ખુલાસો કરી નાખ્યો કે પ્રોફેસર સાહેબને જરા પીવાની આદત છે ! સમજ્યા ને ?”

પ્રોફેસરે પ્રતિનિધિમંડળને મહામહેનતે પ્રશ્ન કર્યો :

“આપ સહુને મારા શેઠ સાહેબ.... ની જોડે શો સંબંધ છે !"

"જી, અમો એમના મિત્રો છીએ, તેમ જ ‘બિઝનેસ'માં એમના સાથીઓ છીએ.”

“એટલે કે એમના બિઝનેસમાં આપ સહુનું આર્થિક હિત છે ?

"જી હા, એવું કંઈક ખરું.” એક જણાએ હસી જવાબ દીધો.

"હવે આપ કંઈક જવાબ વાળો. કંઈક બોલો.” બીજાએ વિનતી કરી.

"હું - હું - હું ! ગૃહસ્થો ! હું – હું – હું તો – કંઈ નહિ. ખેર હું તમારો સહુનો આભાર માનું છું. તમે મને ઘણું માન આપ્યું છે.”

પ્રતિનિધિમંડળ વિસર્જન થયું, ને માસ્તર સાહેબે પેલા આગલે દિવસે