પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૬૯
 


'હું ગુમાર છું. રસભાષા મને નહિ સમજાય.

'ત્યારે સાંભળ, ગમાર ! તે દિવસે તારું પૌરુષ જોયું અને હું મનથી તને વરી ચૂકી.'

'અરે, પણ મારો ઉપકાર વસતો હોય તો મને માનપત્ર આપ, મારા તરફ પૂજ્યભાવ રાખ; પણ આમ...'

'મને તો ઉપકારે વસતો નથી. અને પૂજ્યભાવે વસતો નથી, મને તો એક જ ભાવ આવે છે.'

'કે ?'

'કે તું મારો છો.'

વાદવિવાદ વૃથા હતો. પીયૂષના ભીષણ પ્રયત્નો છતાં વીણાનું લગ્ન તે જ રાત્રે પીયૂષ સાથે થઈ ગયું એટલું જ નહિ, એની જાહેરાત પણ થઈ ગઈ.

બીજે દિવસે આખા દેશમાં હાહાકાર થઈ રહ્યો. વર્તમાનપત્રોના પ્રતિનિધિઓને જવાબ આપતાં બન્ને જણને થાક લાગ્યો. રાત્રે મુલાકાત બંધ થઈ. પીયુષ અગાસીમાં ઊભો ઊભો વિચાર કરતો હતો. પાછળથી વીણા આવી તેનો પણ એને કશો ખ્યાલ રહ્યો નહિ. વીણા બહુ વાર ઊભી રહી. ધીમેથી છેવટે પીયૂષને ખભે તેણે હાથ મૂક્યો. ચમકીને પીયૂષે પાછળ જોયું.

'કેમ ચમકે છે ? ' વીણાએ પૂછ્યું.

'અમસ્તો જ.’

'તારી આંખમાં કાંઈ ગભરાટ છે.'

'ના.'

‘હું નથી માનતી.'

'એક વાત મને ગૂંચવે છે.'

'શી ?'

‘તને ખોટું લાગશે. આજ નહિ પૂછું.'

'મને ખોટું લગાડવાનો તને અધિકાર છે. આજ નહિ પૂછે