આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૪૭
પણ બપોરે અમારા સટ્ટાબજાર ઉપરથી એક વિમાન ઊડી જતું અમે બધાએ જોયું. વિમાન બહુ નીચું ઊતર્યું હતું અને તેમાંથી એક માણસ અમારા તરફ રૂમાલ હલાવતો દેખાયો. મેં સહુને કહ્યું :
'મધુકર એબિસીનિયા જાય છે.'
સહુ હસ્યાં. અને એ વાક્ય ઉપર શરતે ચઢ્યાં. માત્ર પંકજ નામ ઉચ્ચારતાં મધુકરના મુખ ઉપર આવેલા ભાવ મારી આંખ આગળથી ખસ્યો નહિ. વારંવાર એક પ્રશ્ન મને પીડી રહ્યો :
સત્ય શું ? ભાવના કે મૂર્તિ ? મૂર્તિ ભાંગ્યા પછી યે ભાવના જીવે. એ ભાવના બીજો અવતાર પણ કેમ ન આપે ?