પૃષ્ઠ:Pankaj.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજી આવૃત્તિના પુનર્મુદ્રણની પ્રસ્તાવના

'પંકજ' એ મુ. ભાઈસાહેબનો 'ઝાકળ' પછી બીજો ૧૬ વાર્તાઓનો વાર્તાસંગ્રહ. એમાંની કેટલીક વાર્તાઓ એમની શ્રેષ્ઠ વાર્તાઓની ગણના પામી છે. આ વાર્તાસંગ્રહ પુનર્મુદ્રણ પામે છે તેથી અંગત સતોષ થાય છે.

વાચકો અને પ્રકાશકને આભાર.

‘જયકુટીર', ટાઈકલવાડી રોડ,
મુબઈ-૬ તા. ૧-૮-'૬૧
અક્ષયકુમાર ર. દેસાઈ
 


ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

'પંકજ' નામથી પ્રસિદ્ધ થયેલા મારા એક નવલિકાસંગ્રહની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે એ જોઈ અંગત રીતે મને સારું લાગે છે. નવલિકા સરખા સાહિત્ય-પ્રકારના વિકાસમાં મેં ફાળો આપ્યો છે એવું અભિમાન મને ન ઊપજે એ જ અભિલાષા.

'કૈલાશ', મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૫–૧૨-'૫૩
રમણલાલ વ. દેસાઈ