આવળ બાવળ બોરડી
ખાખર ખીજડિયાં,
લાખે વન ઓઢાડિયાં
પીરી પાં ભ રિ યાં.
તે પૂર્વે એ જ નદીકાંઠે એક વાર રાજા ઉન્નડ જાડેજો આવેલો.
ભાદરવો મહિનો : ચારણો નદીકાંઠે ભેંસડીઉં ચારે, વાસળીઉં વગાડે, દુહા લલકારે. કડ્ય કડ્ય સુધી ઝીંઝવો ઊગેલ.
‘વાહ ! નદી કેવી રૂડી લાગે છે !’
રાજા ઉન્નડે એ નદીકાંઠો ચારણોને બક્ષિસ દીધો.
તેની પણ પૂર્વે એક વાર હેમહડાઉ વણજારો નીકળેલો. ભેળી મોતીની ભરેલી પાંચસો પોઠ્યું. પોઠીઆ નદી ઊતરતા હતા. એમાં એક ગુણ ઊતરડાઈ ગઈ ! ઝરરર ! મોતી નદીમાં વેરાણાં.
મોતી સાથે માછલીઉં ફડાકા મારવા મંડી.
હેમહડાઉ જોઈ રહ્યો ? વાહ નદી કેવી રૂડી લાગે છે ! આ નદીમાં તે કાંઇ વેળુ શોભે ! એલા બધી પોઠું નદીમાં ઠાલવી દ્યો.
એવી શોભા કદીને હેમહડાઉ ચાલ્યો ગયો.
છેલ્લા આવેલ રાજા લાખા ફુલાણીના કવિએ મલકાઇને પૂછ્યું નદી જરારને: હે જરાર ! તું તો જૂની પુરાતની છે. તેને કોઈ આ ત્રણ જેવા સૌંદર્યની ખુમારીવાળા નરો સાંપડ્યા છે? ત્યારે જારર હસીને જવાબ વાળે છે—
લાખા જેહડા લખ ગિયા,
ઉન્નડ જે હ ડા અઠ્ઠ;
હેમહડાઉ હલ ગિયો,
વંજી ન કેણી વટ્ટ.
હે માનવી લાખા ફુલાણી જેવા તો મેં લાખ અને ઉન્નડ જેવા આઠ રાજ જોઈ નાખ્યા છે. ને હેમહડાઉ પણ હાલ્યો ગયો, એ કયે રસ્તે ગયો તેનો ય કોઈએ ભાવ પૂછ્યો નથી. માટે ગુમાન કરો નહિ.
માનવીના દિલની ફૂલગુલાબીની સામે માનવ-ગુમાનની વ્યર્થતાનું પલ્લું સમતોલ રાખનારા આ નાનકડા કથાનક પર કંઇ વિવેચનાની જરૂર નથી.