પૃષ્ઠ:Parkamma.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
પરકમ્મા :
 


અર્થ—હે કવિ, દેવાવાળો તો કોઈક બીજો (અલ્લાહ) છે. દિવસરાત મોકલે છે તો એ. પણ લોકો એનો ભ્રમ મારા પર આરોપે છે, (કે હું આ દઉં છું) તેથી લજ્જા પામીને મારાં નેણાં નીચાં ઢળે છે.

અકબર–દરબારનાં ‘રત્ન’ ગણાતા એ નેકપાક શાહિર–સેનાપતિ ખાનખાનાન પર, સ્વર્ગસ્થ મહારાણા પ્રતાપસિંહના પુત્ર રાણા અમરસિંહે, મુગલ–સામ્રાજ્યનાં પીડનોથી તોબાહ પુકારતા આ બે દુહા મોકલ્યા તે પણ આજે ટાંચણમાંથી જડી આવે છે ને સ્વ. ગગુભાઇનું સ્મરણ તાજું કરાવે છે.

કમધજ હાડા કુરમ્મા
મહલાં મોહ કરન્તા;
કહજ્યો ખાનખાનાન મેં
બનચર હુવા ફિરન્ત

અર્થ–રાઠોડો, હાડાઓ ને કચ્છવાહા ક્ષત્રિ રાજવીઓ તો અકબર–સામ્રાજ્યને શરણે થઇ જઈને મહેલોમાં મોજ કરે છે, હું એક જ વનનું વનચર બનીને ભટકું છું.

ચહવાણાં દલ્લી ગઈ,
રાઠોડાં કનવજ્જ;
કહજ્યો ખાનખાનને
એ દન દીધે અજ્જ

.

અર્થ–ચહુવાણોની દિલ્હી ગઈ, રાઠોડોનું કનોજ ગયું, એજ દિવસ મારા મેવાડનો પણ આજે દિસે છે.

તેના જવાબમાં ખાનખાનાન ભાવિની વાણીથી ભરેલો દુહો મોકલે છે.

ધર રહસી, રહસી ધરમ્મ,
ખપ જાસી ખુરસાણ,
અમર ! વિશંભર ઉપરે
રાખ નહચ્ચો રાણ !