વાજા ! બેને વાટ
ખીમા ! ધર રૂંધી ખાત્રી !
(હે ખીમા વાજા ! તારાં તો પૃથ્વી પર સૈન્યો ચાલે ને જળ પર જહાજ ચાલે. બન્ને માર્ગે તેં ધરણીને રૂંધી રાખી છે.)
શત્રુનો કવિ કહે છે—
ખીમા ! મ કર ખલવલાં,
મ કર મામદ શું મેળ્ય;
જાજન તણો જડ કાઢશે,
કાળ વળુંધ્યો કેળ.
(હે ખીમા ! તું જાજનશાહના બેટા મામદશાહ, સાથે યુદ્ધ ન કર, એ કાળ જેવો તારી જડ કાઢશે.)
ખીમો ઉત્તર વાળે છે—
કાળ વાળુંધ્યો કાંઉ કરે
જેને બાંયાબળ હોય;
તું ખર ને હું ખીમરો
જુદ્ધ કરું તે જોય.
(અરે તારો કાળ જેવો બાદશાહ પણ જેને બાંયમાં-ભુજામાં બળ છે તેને શું કરશે ? હું જુદ્ધ કરું તે જોઇ લેજે.)
પછી બાદશાહનો કવિ કહે છે કે મામદશા તો ફણીધર છે; તો ખીમાનો કવિ ખીમા વતી પડકારે છે કે,
ફણીધર તેને ઘર ઘર ફેરવું,
ના ક ચ ડા વી ન થ;
હું ખીમો લખધીરરો
છઉં ગારડી સમરથ.
(તારા ફણીધરને તો હું નાકમાં નથ પરોવીને ઘેર ઘેર ફેરવીશ. હું લખધીરનો પુત્ર ખીમો તો સમર્થ ગારુડી છું.)