પૃષ્ઠ:Parkamma.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાચો સુયશ

ભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
ધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા
મનની ઊંડી વ્યથાભરી એક જ વાત કહી
નાખું છું : યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની
લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું.
મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી
પોપડા ઉકેલવાનો હતો : પણ એ તો મનની
મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહા-
લયમાં વિચારનારા હજારો ગુજરાતી જુવાનોને
આ સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક
તો કમ્મર કસો ! પણ રાનીપરજ ને કાળી-
પરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી
સવિશાળ રત્નાકરપટ્ટીના કાંઠાળવાસી નાવિકો
અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ
રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટી-
ને દ્વારે હાજર કરો. સાચો સુયશ ત્યાં જ
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને

૧૯૩૯
‘લોકસાહિત્ય’ના નિવેદનમાં
 


ભારતી સાહિત્ય સંઘ લિ.
પો. બૉ. નં. ૯ ૭ ૮ • મું બ ઇ - ૧
પો. બૉ. ન. ૭ ૩ • અ મ દા વા દ