પૃષ્ઠ:Parkamma.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
પરકમ્મા :
 

 ન કરી શકી. (હીંડોળે હીંચકતી હીંચકતી પાનની પિચકારી ઘુમ્મટ પર ન પહોંચાડી શકી.)

બીજે દિવસે ઘોડાના તાજા સગડ જોયા. રીસાળુએ જઈને હઠીઆને માર્યો; એનું કલેજું લાવી રંધાવ્યું : પોતે કોળીઆ ભરાવ્યા : પૂછ્યું, ‘કેવું મીઠું !’

‘બહુ જ.’

‘જીવતાં મીઠું તે મર્યા પછી યે મીઠું લાગે હો !’

ફૂલવંતી ચાલી ગઈ.

ખંડેર પરથી વાર્તાસર્જન ?

ટૂંકા ટાંચણમાંથી એ આખી કરુણ કથા ઊપસી આવે છે. એકલદંડીઆનાં બલાડાં મેં નોટમાં તાણેલાં છે તે મોજૂદ છે. એટલો જ જો એ એકલદંડીઓ હોય તો તો એમાં નથી કોઈ હિંડોળો બાંધવાની જગ્યા, કે નથી હઠીઆ–ફૂલવંતીની પ્રેમલીલાને પ્રકટવાનું ઠેકાણું. કદાચ એ તો મૂળ મહાલયનો અવશેષ માત્ર હશે. રૂદ્રમહાલયનું એક તોરણ આજે જેમ છે તેમ જ. સંભવ છે કે મૂળ પ્રેમાલય નષ્ટ થયું છે. એથી વધુ સંભવ છે કે કોઈક લોકવાર્તાકારે ત્યાં બેઠાં બેઠાં વાર્તા કલ્પી કાઢી છે ને સ્થાન તો ઘણું કરીને ઓઠું જ બન્યું છે.

આમ આ પાષાણી અવશેષો પર તો બુદ્ધિ માત્ર એક હાસ્ય વેરીને પાછી વળી જાય છે. પણ એવું હાસ્ય આ ટાંચણ કરેલી વાર્તાના અવશેષો પર વેરી શકાતું નથી. રીસાળુ, ફૂલવંતી અને હઠીઓ વણઝારો, એ ત્રણ પાત્રો આ પૃથ્વી પર કદી હો વા ન હો, મારું મન તો એમનું સનાતન અસ્તિત્વ સ્વીકારી બેઠું છે. નાની એવી બાલિકાનું કળી–જીવન એના પરણ્યા પતિના કોઈક એકલ ગૃહમંદિરમાં પુરાયું હશે, દિનો પછી દિનોનાં વહાણાં વાતાં હશે, કળીને ખીલવતાં ખીલવતાં વર્ષો વિદાય લેતાં હશે, પરણ્યો એની પરિપૂર્ણ પુષ્પિતાવસ્થાની વાટ જોતો હશે.

એની સબૂરીને કલ્પનામાં ખડી કરું છું. કાચી કળીને અંતરની