પૃષ્ઠ:Parkamma.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
પરકમ્મા :
 


(નાગણ્યે જઈ શેષનાગ પતિને પુત્રીના ઊંડા મૂંગા દુઃખની વાત કહી.)

શેષનાગ કહે ‘હું નિદ્રા કરું ત્યારે મારા મોં માથે જે ફીણ વળે છે તે લઇ લ્યો, એની ગોળીયું વાળો, ને એક ભેંસ ભેળી આપો, (જમાઇ રોજ ગોળી ખાય ને માથે ભેંસનું દુધ પીએ.)

(એ રીતે શેષનાગ (અહિ) ના મોંના ફીણની ગોળીઓ અને ભેંસ આપીને પુત્રીને પતિઘેર પૃથ્વી પર મોકલી.

સાથે ઢોલિયો આપ્યો. ઘઉં દીધા.

આજે પણ નાગ (સાપ) કદી ઢોલિયા પર ન ચડે, કારણ કે ઢોલિયો તો દીકરીનો કહેવાય.

ઉપલા ટિપ્પણમાંથી આટલી બાબતો સારવીએ કે પૃથ્વી પર ભેંસ નહોતી તે નાગલોકમાંથી કોઈક આર્યપુત્રની પરણેલી નાગકન્યા લઈ આવી. અફીણ પણ એ સાથે લાવી. (અફીણ=અહિ+ફીણ, અહિ કહેતાં સર્પ, તેનાં ફીણ.)

વણજારાની દુનિયા

ફરી પાછાં ગીતોના સરવડાં—

અમે પાણીડાં ગ્યાં'તાં રે જોબન માળીડા !

×××

રાજલ રે આવી વણજારાની પોઠ
આવી ને આ રે ઊ ત રિ યા વણજારા હો જી

રાજલ રે મુંજલ પાણીડાંની હાર
નણંદ-ભોજાઈ પાણી સાંચર્યાં વણજારા હો જી

ભોજાઈ મુંજલ પાણી ભરીને ચાલી ગઈ હશે. પાછળ રહેલી નવજોબનવંતી નણંદ રાજલ પાળે ઊભેલ વણજારાને વીનવતી હશે—

નાયક રે અમને બેડલાં ચડાવ્ય,
છેટાં પડ્યાં રે સૈયરૂંનાં, વણજારા હો જી