પૃષ્ઠ:Parkamma.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૮૧
 


લગામ, પેછુન, હેકલ, બધા શણગાર સજાવ્યા. પછી રાણાએ પૂછ્યું: ‘આ ઘોડા પર અસ્વાર કોણ સારો લાગે? ’

દરબારીઓ કહે કે ‘બલુ.’

તુરત રાણાએ ઘોડો સાજ સાથે દિલ્હી બલુ ચાંપાઉતને મોકલી આપ્યો.

બલુએ કહાવ્યું: ‘આ ઘોડાનો બદલો હું દેવારીના ઘાટમાં ચૂકવીશ, જીવીશ તો પણ ને મરીશ તો પણ.’

(પણ બલુનો દેહ પડી ગયો. પાછળથી રાણાજીને દેવારીના ઘાટમાં જોધાણનાથે ઉતારેલ શાહી ફોજ સાથે ઘોર યુદ્ધ થયું.)

બલુ સુરાપરમાંથી આવ્યો. રાણાની ફતેહ વર્તી.

એનું બિરદ–કથાગીત એ ચારણે ઉતરાવ્યું હતું તેમાં પાઠશુદ્ધિ ન હોવા છતાં, એક અચ્છા મરોડદાર રાજસ્થાની મરસીઆ તરીકે હું એને પિછાની શકું છું, એમાંથી વીરતાનો તરઘાયો ઢોલ સંભળાય છે. પાઠશુદ્ધિને માટે તો કોઈક ચારણ વાચક પાસેથી વાટ જોઈશ—

આગમ કથમ જેસહર આખે,
પોહ દાખે ધ્રુવ મેર પ્રમાણ;
મોંને અસ રીઝ્યાં મોકલીઓ
તસ બદલો દેશું દહીવાણ!

જુગ પર વચન કહે જોધપર,
પતા મૂજને ખતા પરે,
દેહેવારી કાંકળવે જાગમ
ભાડો અસચો લીધ ભરે.

પ્રવાણે ગોપાળવત ઇંસી પર
રણ ચઢ ઘણાં મારથી રોધ,
ચડિજે દળ ઘાટી ચીતોડાં;
સાંકર ભર લીજે ચીતોડ.