જવાબમાં લાખણશીએ નાથજીને ગાળો સંભળાવવા માંડી.
નાથજીએ કહ્યું, ‘વરસડા, ઉસ્કા શિર પકડકે યું ભાંગ મેં ડૂબે દે.’
વરસાભાઈએ લાખણશીનું માથું પકડી પરાણે નાથજીની અંજલીમાં એનું મોઢું બોળ્યું. હોઠ અડતાં ગળ્યું લાગ્યું. એથી લાખણશી પી ગયો. ભાંગ પેટમાં જતાં જ બાળક આપોઆપ નાથજીની સામે જોઈ બોલી ઊઠ્યોઃ
નીલા લાખણસીંહને, ત્રૂઠા તુલસીનાથ,
માને સારી મેદની, હાકમ જોડે હાથ,
નાગજીએ ભાંગની બીજી અંજલી ભરી ‘લે બચ્ચા !’ કહેતા લાખણશી પી ગયો અને આપોઆપ બોલી ઊઠ્યો.
આભ જમી વચ એક તું, સો વાતાં સમરાથ,
થલ ભુરારા ઠાકરા, નામું તુલશીનાથ !
પછી ત્રીજી અંજલી લેતાં તો બાળક હાથ જોડીને બોલી ઊઠ્યો,
પ્રેમે ભજિયા રિયા નવેં નિધ પામી,
‘ધારાવર કવલાશો ધામી
હુકમ કરો જો અંતરજામી
ગજા સંપત હું કરું ગુલામી
જાવા સંશય મનસા જાડા,
આવે મોજ ફરે કોણ આડા
લાયક વર દેતા હર લાડા
દેવાસરે દેવ જગ ડાડા.
પરચા તણા વેણ સત પલશી
ચારણ લખો કહે ના ચલશી,
મૂજ તણે ધન માલજ મલીસી
તૂજ તણે પરતાપે તલશી!
વરસોભાઈ નાથજીના પગમાં પડી ગયા.