પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ : પત્રલાલસા
 

મળવા આવો છો ?' દીનાનાથ ગુસ્સે થઈ ગયા.

'સાહેબ ! પંદર દિવસ થઈ ગયા અને મંજરીબહેન મળ્યાં નહિ એટલે મારે આવવું પડ્યું.' નવીન આવનાર માણસ પણ છોભીલો પડી ગયો. 'મંજરીબહેનને રૂપિયા આપવાના હતા. હું મારી પાસે ક્યાં સુધી રાખી મૂકું ?'

'મંજરીને તમારે રૂપિયા આપવાના હતા ?' દીનાનાથે પ્રશ્ન કર્યો. હજારો વિચાર તેમના મગજમાં આવી ગયા અને આંખ કપરી થઈ.