આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકસ્માતનાં પરિણામ : ૮૭
'આપણે મંજરીને વ્યોમેશચંદ્ર સાથે પરણાવીએ તો ?'
‘મને પણ કેટલાક દિવસથી એમ જ થતું હતું. પણ તે સાંભળશે? એ તો શ્રીમંત રહ્યા !'
દીનાનાથનું મોં પડી ગયું.
‘આપણે પણ શ્રીમંત હતા, હવે નથી, પણ મને એમ લાગે છે કે આપણે પૂછીશું તો ના નહિ પડે.'
'મને ડર લાગે છે. ઘણાં માગાં આવી ગયાં, પણ તેમણે ના પાડી છે. આપણને ના કહેશે ?' નંદકુંવરે શંકા બતાવી.
‘મંજરીની મરજી પૂછવી પડશે. એને ન ગમવાનું કારણ નથી, જો વ્યોમેશચંદ્રની મરજી હોય તો !'
‘એ તો વિચિત્ર સ્વભાવની છોકરી છે. એને શું ગમશે અને શું નહિ તે કોણ જાણે !'