પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૩૭
 


ઝાંઝ કૂટનારાઓ અને પેટભરાઓ મોટા મોટા બરાડા પાડે છે. ઠાકરજી તો કહે છે કે એવાઓની પાછળ હું જ મૂઓ પડ્યો છું.



કૂટયું કુટિયેં કુંજિયું,
ડિયેં ઝાંઝેકે જોર
હિકડા ભૂખ્યા ભતજા,
બ્યા રનેંજા ચોર.

જોરથી ઝાંઝ બજાવનારા અને મંજીરા વગાડનારા ખોટા છે. એમાંના કોઈક મીઠું મીઠું ખાવાના લાલચુ છે, ને કોઈક સ્ત્રીઓના ચોર છે.



જે નર રામ ન ભુજિયા
સે સરજ્યા ઢગા;
ખેડી ખેડી આપો ડઈ રિયા
અખિયું કઢીતા કગા.

રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળદનો અવતાર પામે છે, ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય, ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.



જે નર રામ ન ભુજિયા
સે સરજ્યા ગધા;
મીઠેજ્યું છાંટું ખણીને
સેરીએ સેરીએ ભગા.

રામને ન ભજનારાઓ ગધેડાનો અવતાર પામે છે. પછી મીઠાંનાં છાલકાં ઉપાડી ઉપાડીને એ શેરીએ શેરીએ ભાગતા હોય છે.



જે નર રામ ન ભુજિયા,
સે સરજ્યા કૂતા;
ભૂખ ભડવે જેં પેટ મેં
સેરીએ સેરીએ સૂતા.