પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૬૯
 


તમારે જાગ્યે જામો જામશે;
બોલિયા જેસલ રાય
સાસટિયા કાઠીની વિનતિઃ
જાગો તોળલદે નાર.— શબદુંના૦

*

સાંસતિયાનું ગામ તજ્યું ત્યારે જ તોળલને મહિના ચડતા હતા. નવ માસ પૂરા થવા આવ્યા છે. પ્રસવને ઝાઝી વાર નથી.

એવે ટાણે વાયક આવ્યાં. સંદેશો આવ્યો. પાંઉપટણથી ભક્ત સાંસતિયાનું તેડું આવ્યું : "જેસલજી ને તોળલદે, બેય જણાં ‘ગત્યમાં' હાજરી આપવા વખતસર આવજો.”

નોતરું બેને જ આવ્યું. ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય? એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોળલ વિચારમાં પડ્યાં. મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો છે.

પછી છાનામાનાં —

'સોનલા-કટારી સતીએ કર ધરી’: પેટ પર કટાર ચલાવી, ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો. ઝાડની ડાળે ઘોડિયું બાંધીને બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી : “બહેન, બાળકને સાચવજે. અમારે તો ધણીને દ્વાર જવું છે. તારો આભાર નહીં ભૂલું. ત્યાં હું વિશ્વના ધણીને તારા પણ નમસ્કાર કહીશ.”

જેસલને લઈને તોળલ ચાલી નીકળી. માર્ગમાં કજલીવન નામનું મોટું જંગલ આવ્યું. જંગલમાં વાંદરાં ઠેકે છે. એમાં એક વાંદરી પોતાના નાના બાળને પટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલંગ મારી રહી છે.

"અરે ! અરે ! અરે વનરાઈની રાણી!” તોળલથી બોલાઈ ગયું. “આમ ઠેકડા મારી રહી છે, પણ ક્યાંક તારું