પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૭૩
 



પોતાના પુન્ય વન્યા પાર નૈ રે
ગરુ વન્યા મુગતી ન હોય રે હાં હાં હાં.
કંકુવરણો રે સૂરજ ઊગશે
તપશે કાંઈ બાળોબાળ રે હાં.

ધરતીના દોઈ પડ ધ્રૂજશે
હોશે કાંઈ હલહલકાર રે હાં.
હાં રે હાં હાં. — પીર રે પોકારે૦

હાડ ને ચામ રોમરાઈ નહીં
નહીં કાંઈ રુદર ને માંસ રે હાં.

પિંડ પડમાં અધર રિયું,
નો'તા કાંઈ સાસ ને ઉસાસ રે હાં.
હાં રે હાં હાં. — પીર રે પોકારે૦

નર રે મળ્યા હરિના નિજયાપંથી
એ જી મળ્યા મને સાંસતિયો સધીર રે હાં.

મૂવાં રે તોળલને સજીવન કર્યાં
એમ બોલ્યા જેસલ પીર રે
હાં રે હાં હાં. — પીર રે પોકારો૦

[પ્રભુના પ્રથમ પ્રાકટ્યનું આરાધન : ઓ ભજનિકો ! જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયો હતો. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા. શું પુત્ર ! શા સંબંધો ! પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મમરણના ફેરાનો?

ને ફરી પ્રભુ પ્રકટશે : તે દિને લાલચોળ સૂરજ ઊગીને