છો બાપુ ?"
“મુસાફરો છીએ.”
"કેટલેક જાવું છે ?”
“જાવું'તું તો બીજે, પણ રસ્તો ભૂલ્યા છીએ.”
"કાંઈ ફિકર નહીં બાપા, રસ્તો ભૂલેલાંને માટે જ અહીં વિસામો છે."
"કયાં ?”
“સંત દેવીદાસની ઝુંપડીમાં. આવશો ?”
અસવારોને ભાવતું હતું તે જ જડી ગયું. “ભલે.”
"ચાલો બાપ.”
અમરબાઈએ કાઠીરાજની બન્ને ઘેાડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પૂછ્યું :
“પછવાડે ઘેાડાં દોટાવતા દોટાવતા કોણ તમે જ આવતા'તા ભાઈ?”
"ક્યાં? ક્યારે ? ક્યાંથી ?” કાઠીરાજ થથરાયો.
“ઠેઠ બગેશ્વરને સીમાડેથી.”
"કોઈક બીજા હશે.”
“જે હો તે હો ભાઈ પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડામાં. અંધારે ગોતતાં કાંઈ ભાળ મળે નહીં ને ? ભેળો ભોમિયો નહીં હોય. ને પાછું આ ગો ગીરનો વગડો વીરા ! ઘોડાં તૂટી જાય. હશે ! કોઈ બચાડા અતિ વહાલી જણશની ગોતમાં જ નીકળ્યા હશે ને !”
એટલું બોલીને અમરબાઈ એ પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હયો, ઝાંખો દીવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યાં.
“ઊતરો બાપ !” કહીને અમરબાઈ એ ઘેાડીને થોભાવી