પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯. સ્નેહશંકા

વનોનાં વૃક્ષોને તરુણ વયમાં છેદ કરતાં, જશે તે રુઝાઈ, ત્વચ નવ ફરી વાર ધરતાં; જનોમાંયે તેવા જડ હૃદયમાં તેમ બનતું, થતાં થોડી વેળા, ક્ષતરહિત પાછું થઈ જતું!

મને બીજાઓનાં નથી વચનની લેશ પરવા, સદા ચિંતા જેવી અભિમુખ રહું વૃત્તિ હરવા; વહું સ્વેચ્છાચારે જગત ભણી દૃષ્ટિ જ ન લહું, બધે અવો તોયે પ્રિયજન સમીપે શિશુ રહું!

નહિ તેના શબ્દો કઠિન કદીયે થાય સહન, જરા તેને શંકા મન મહીં કરે દુઃખ ગહન; વિપત્તિમાં ક્યારે પણ નયન જે કૈં ન ડરતાં, કહે થોડું તે, ત્યાં તરત જલ એ પૂર્ણ ભરતાં.

જનેતા ને ભ્રાતા! પ્રિયતમ સખા ને પ્રિયતમા! જણાવું છું, મારે તમ વગર કોની નથી તમા; નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો, તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો!