પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫. અજ્ઞાન સખા પ્રતિ

નહિ નહિ કદા તારે શબ્દે જરી લઘુતા ઘટેઃ નહિ ક્મય હજી માયાની એ તને જડતા મટે! હૃદય પણ શું ભૂલે? આસ્થા ડગે? નહિ સાંભરે, પ્રણય રસની બ્રાહ્મી વસ્થા? સખે! ન ઘટે ખરે!

નહિ રસ, સખે! આત્માનો એ કદાપિ કમી થતો : રસમય લસે આત્મા તો એ ચરાચરમાં છતો! સ્મરણ કરજે માટે, વ્હાલા! સ્વરૂપ તણું, અને સકલમયતા-સ્થાને આવી પછી મળજે મને!