પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૬. મેનાવતીનું મૃત્યુ Previous Next

અશ્રુ ઊભરે આજ જનેતા અશ્રુ ઊભરે આજ ન્હાય સકલ આ વિન્ધ્યશિખર તારાનો સ્નેહ સમાજ — જનેતા—

વર્ષ ગયાં થઈ રાજ્ય ગયા પછી આજ ગણું ગયું તાજ, — જનેતા—

તાજ હવે નહિ જોય તુ સદૃશ માનવ જાતિ સમાજ, — જનેતા—

લુપ્ત થશે વસુધા પરથી નહિ તે તવ અદ્ભુત કાજ, — જનેતા—

તું જનની નહિ માત્ર, ગુરુ પણ : છે તવ ભેખ કૃપા જ, — જનેતા—

હાવાં થયું ભવસાગરની પર એક મારું જહાજ, — જનેતા—