પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૨. હૃદયગીતા Previous Next

[બિભાસ અને પરજના સ્વરોમાં]

ઘીરજ ધર ને, હૈયા તું મારા! આત્મા શાશ્વત અમર છે! દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા! સ્વર્ગોમાં સ્નેહે ભેટવું! સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો : દેહી શાશ્વત અમર છે :

નવ કુસુમ નવ મરતું! પ્રભુ નિકટ ઝટ સરતું : અયિ હૃદય! ધૃતિ ધર દિલ નજર કરઃ વિરલ તરુવર વિરલ સરવર, સમીપ સુરજનભવન ઝળહળતાં!