આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૃશ્ય બીજું
- કાઠિયાવાડી ફેંટો, ધોતિયું અને અંગરખુ પહેરેલી ગાંધીજીની આકૃતિ દેખાય છે.
ધ્વનિમંડળ ૨
૧ : કોઈ સ્થિતપ્રજ્ઞ આવે છે?
૨ : અરે શું તમે યે તે ? એ તો પેલા મોહનદાસ કરમચંદ ગાંધી |
૧ : આફ્રિકાના સત્યાગ્રહવાળા ! એ જ ને? એ અહીં આવીને શું કરશે ? ફિરોજશાહ, ગોખલે, તિલક, બેનરજી, બીસેન્ટ : ક્યાં એ પ્રૌઢ યોદ્ધાઓ....
૨ : અને ક્યાં આ ધોતિયું, અંગરખુંં, કાઠિયાવાડી ફેંટો પહેરેલા આ ગુજરાતી ભાઈ ! નથી રૂપ, નથી રંગ, નથી પ્રભાવ ! સ્વાગત માટે પણ કોઈ આવ્યું દેખાતું નથી ને !
૧ : પણ ગોખલેજીને એમને માટે ભારે માન, હો ! એ તો એમને મહાત્મા જ કહે છે !
૨ : ફરવા દો વરસ દિવસ. જોશે હિન્દ, અને જશે પાછા આફ્રિકા !
વિવેચન : ગાંધીજી આફ્રિકા પાછા જતા નથી, તેમણે સાબરમતી આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી રાષ્ટ્રજીવનને પરમ વેગ મળ્યો.