- આતતાયી બની ગયા છીએ...અરે...સ્વરાજ્ય આમ ઊગ્યું શું? રુધિરરંગે ?
૧ : જુઓ, જુઓ ! આપણાં હીરામોતી ઝીલવા નહિ પણ આપણા ખૂની હાથને પાછા ખેંચવા, ધોઈ સ્વચ્છ કરવા પવનપાવડી ઉપર ઊડતા ગાંધીજી પધાર્યા.
૨ : મહાત્મા ગાંધીનો જય !
૩ : સાંભળો, સાંભળો ! બાપુ આવીને કાંઈ બોલે છે! શું કહ્યું એમણે ?
૩ : આઝાદી પહેલાં અને આઝાદી પછી એના એ જ બાપુનાં સૂત્રકથન :
અહિંસા વગર આરો નથી.
જીત પ્રેમની જ હોય.
એક પણ માનવી ભૂખ્યો હોય ત્યાં સુધી બીજા માનવીથી
જમાય નહિ.
મરીને જીવો; મારીને નહિ.
યંત્ર નફા માટે નહિ, માનવીની સરળતા માટે હોય.
જે ધર્મ ઝધડા ઊભા કરે એ ધર્મ અધર્મ બન્યો સમજવો.
૫ : અરે, પણ ગાંધીજી એકલા મુસ્મિનોને જ સાચવવા બેઠા છે શું ? આ પચાસ કરોડ રૂપિયા પાકિસ્તાનને પધરાવી દીધા !
૬ : બોલ્યું પાળવું એ આર્ય સંસ્કૃતિનો મુદ્રાલેખ. ગાંધીજી એટલે આર્યસંસ્કૃતિનો અર્ક.
૭ : ગાંધીજીનું કામ હવે પૂરું થયું. સ્વરાજ્ય મળ્યું. હવે એ ખસી હિમાલય જાય તો ગંગા નાહ્યા. એમની મુસ્લિમપરસ્તી સહી જતી નથી !
૧ : હિંદનો એકએક મુસ્લિમ નિર્ભય ન બને ત્યાં સુધી ગાંધીજી હવે ખસે જ નહિ – એમને ખસવા દેવા ય નહિં – દિલ્હીથી.
૨ : કેમ એમ ?
૩ : સ્વરાજ્ય તો મળ્યું, પણ હજી એમાંથી રામરાજ્ય ખીલવવું