આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્થળ
નવલખી વાવ-વડોદરાના રાજમહેલની પડખે.
સમય
સવાર કે સાંજ
સૂચન
બગીચાનું દૃશ્ય પડદા ઉપર તેમ જ રંગભૂમિ ઉપર લાવી શકાય.
બની શકે ત્યાં વડોદરાના લક્ષ્મીવિલાસ-અગર કોઈ પણ મહેલને પડદા ઉપર લાવી શકાય તો ઠીક. ખાસ જરૂર નહિ.
વાવનું દૃશ્ય ચિત્રથી અને બે ત્રણ પગથિયાંથી ઊભું કરી શકાશે. બે આછા લેખ-ફારસી તથા બ્રાહ્મીમાં-સૂચન પૂરતા બતાવી શકાય.
ટોર્ચ દ્વારા બન્ને લેખ વંચાવવા અને બન્ને લેખમાંથી–અગર લેખના પડદા પાછળથી મુઝફ્ફર અને સૂર્યરાજ પ્રગટ થઈ શકશે. દેવી વાવમાંથી પ્રગટ થતી બતાવવી સંગીત પાશ્વભૂમિમાં આવી શકશે.
પાત્રો
મુસાફર : સ્થાપત્ય શાખીન વટેમાર્ગુ.
દેવી : વાવની અધિષ્ઠાત્રી દેવી.
મુઝફ્ફરશાહ : પંદરમી સદીની શરૂઆતમાં થઈ ગયેલો ગુજરાતનો પ્રથમ સુલતાન.
સૂર્યરાજ : સાતમી સદીની શરૂઆતમાં કલચુરી વંશના રાજવી નન્નાનો ગુર્જર સેનાપતિ.