પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચૌદમું

૧૦૬


'એકાદ બે મસ્જીદો બનાવશે એટલું જ ને ?'

'હાં-હાં-ત્યારે તો આ તૂટેલા પડેલા શંકુ-શૃંગો પણ ....'

એમ કહેતા રા' ઊભા થયા ને મંદિરની બહાર નીકળી ગયા. તે પછી સાગર-તટે ઊભા રહીને એણે સળગતા સૂર્યના તાપમાં મંદિરનાં ખંડિત શિખરો પર નેત્રો ઠેરવી રાખ્યાં. નેત્રોમાંથી અશ્રુધારા ખળખળી ગઈ.