આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
| સત્ત્વપ્રભાવથી રાજ્યતંત્ર જરૂર સુસ્થિતિને અને સમૃદ્ધિને માર્ગે ચાલશે. મારા પિતાથી મને મળતા હક ઉપરાંત મારે વિશે લોકો વધુ જાણતા નથી, પણ એક વેળા હું રાઇ તરીકે મંત્રીશ્વરના પ્રસંગમાં આવ્યો છું અને ઉપમંત્રી દુર્ગેશ મારું નામ ઠામ જાણ્યા વિના મિત્ર તરીકે મને ઓળખે છે. તેઓ મારી કંઈક ઓળખાણ સહુને આપી શકશે. આ વિલક્ષણ પ્રસંગ હવે સમાપ્ત અક્રું છું. અને, મારા દોષ માટે સર્વની ક્ષમા માગું છું
[રાઈ ઊઠીને સભામાંથી જાય છે.] |
કલ્યાણકામ : | પ્રતિહાર ! સભા વિસર્જન કરો. |
પ્રતિહાર : | (મોટેથી )સભા વિસર્જન.
[સર્વે જાય છે.] |
᠅
૧૧૪
રાઈનો પર્વત