આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વીણાવતી : | કેવું નવાઈ જેવું ! હું તો છેક બાળક હઈશ ! |
લેખા : | એકની એક પુત્રીના લગ્નનો લહાવો લેવાનો. તેથી તમારી આટલી નાની ઉંમર છતાં છૂટકો નહોતો. |
વીણાવતી : | પછી ? |
લેખા : | પછી મહારાજે તમારાથી સહેજ મોટી ઉમરના એક રાજકુમાર શોધી કાઢ્યા. તે જાતે તો અહીં આવ્યા નહિ, પણ, તેમનું ખાંડું આવ્યું, તેની સાથે તમારું લગ્ન કર્યું. |
વીણાવતી : | કોણે કર્યું ? |
લેખા : | તમારા પિતાએ. |
વીણાવતી : | કેવું હસવા જેવું ! |
લેખા : | એ તો રૂઢિ છે, પણ હવે વિકટ વાત આવે છે. બાપુ ! તમે મારી નજીક આવો (વીણાવતીને સોડમાં લે છે.) મારી જીભ ઊપડતી નથી, પણ કહ્યા વિના હવે છૂટકો નથી. એ લગ્ન પછી આઠ દિવસે એ રાજકુમાર તાવમાં સપડાઈને દેવલોક પામ્યા.
[આંસુ ઢાળે છે.] |
વીણાવતી : | કેવું સંકટ ! એના માતાપિતા બિચારાં બહુ દુઃખી થયાં હશે ! |
લેખા : | એનાં માતાપિતાની કેમ વાત કરો છો ? એ માઠી ખબર આવતાં જ રાણી રૂપવતીએ પ્રાણ છોડ્યા. |
વીણાવતી : | મારી માતા બહુ કોમલ હૃદયની હશે. બીજાના દુઃખથી એને કેવો સખત આઘાત થયો ! |
લેખા : | બીજાનું દુઃખ અને પોતાનું નહિ ? |
વીણાવતી : | પોતાનું ? |
લેખા : | પોતાની એકની એક પુત્રીનો ભવ બગાડયો, એના જેવું બીજું શું દુઃખ હોય? |
વીણાવતી : | મારો ભાવ બગાડયો ? મેં શું કર્યું કે મારો ભવ બગાડ્યો ? |
લેખા : | બાપુ ! તમે દુનિયાથી છેક આજ્ઞાન છો. એ રાજકુમારના |
૧૩૬
રાઈનો પર્વત