આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મૃત્યુથી તમે વિધવા થયાં, એ તમે હજી સમજ્યાં નથી? | |
વીણાવતી : | હું વિધવા થઈ ? શી વાત કરે છે ? હું ક્યારે પરણી છું? |
લેખા : | તમને પરણાવ્યાં એટલે તમે પરણ્યાં જ ગણાઓ. |
વીણાવતી : | એ લગ્ન તો ફક્ત મારા માતાપિતાના લહાવાનું અને ગમ્મતનું હતું. |
લેખા : | અને , તોયે તે તમારું ખરું લગ્ન જ કહેવાય. |
વીણાવતી : | ખરું લગ્ન તો પ્રેમનું હોય છે ! |
લેખા : | એ જ માટે કહું છું કે તમારાથી હવે પ્રેમ ન થાય. સ્ત્રીનો પ્રેમ એક જ પુરુષ માટે હોવો જોઈએ. |
વીણાવતી : | પણ, મેં ક્યારે પ્રથમ બીજા કોઈ પુરુષ માટે પ્રેમ કર્યો છે? |
લેખા : | તમારું લગ્ન થયું એટલે તમે પ્રેમ કર્યો જ કહેવાય. વિધવાથી પ્રેમ થતો હોય તો વિધવાથી લગ્ન ના થાય ? વિધવાના લગ્નની આપણાં શાસ્ત્રોમાં ના કહી છે. |
વીણાવતી : | શા માટે ના કહી છે ? |
લેખા : | વિધવા લગ્ન કરે તો પ્રેમની ભાવના ખંડિત થાય. |
વીણાવતી : | જેના પર મારો પ્રેમ છે તેની સાથે હું લગ્ન કરું તો પ્રેમની ભાવના પુષ્ટ થાય કે ખંડિત થાય ? |
લેખા : | પ્રેમનું સ્વરૂપ તો શુદ્ધ છે. |
વીણાવતી : | મારા પ્રેમમાં કાંઈ અશુદ્ધતા છે ? |
લેખા : | આ સ્થિતિ ન આવે તે માટે મહારાજે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા ? |
વીણાવતી : | મહારાજે શા પ્રયત્ન કરેલા ? |
લેખા : | આ માઠો બનાવ બન્યો તે વખતે એ વાત કોઈએ કહી નહિ, અને કહે તો તે વખતે તમે સમજો શું ? પછી મહારાજે આજ્ઞા કરી કે તમારી મોટી ઉમ્મર થાય ત્યાં સુધી તમને આ વાત કોઈએ કહેવી જ નહિ. વસતિમાં એવી ગુપ્ત વાત રાખવી કઠણ, તેથી |
અંક છઠ્ઠો
૧૩૭