આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લેખા : | પણ, એવા અજાણ્યા પુરુષને મળવું યોગ્ય છે? |
વીણાવતી : | જેને હ્રદયે જાણ્યો તે અજાણ્યો કેમ કહેવાય ? |
લેખા : | હ્રદયે જાણ્યો તે તો ઠીક, પણ એ કોણ છે તેની ખબર નહિ કાઢો ? |
વીણાવતી : | હું તને સર્વ કહીશ, અને તેના ગુણ તું સાંભળીશ ત્યારે તું પણ તેને જોવા ઉત્કંઠીત થઈશ. હવે હું તારાથી ગુપ્ત રીતે એને નહિ મળું. એ આવશે ત્યારે તને જોડેના ખંડમાં રાખીશ, પણ અત્યારે તો આપણે બન્ને અસ્વસ્થતા ભૂલી જવા સારું વાડીમાં જઈ ફૂલ વીણીએ.
[ બન્ને જાય છે.] |
પ્રવેશ ૫ મો
સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.
[વીણાવતી અને જગદીપ સંભાષાણ કરતા પ્રવેશ કરે છે.]
વીણાવતી : | લેખાની એ બધી દલીલ નિષ્ફળ ગઇ, ત્યારે એણે મને કહ્યું કે તમે દુઃખી થવાને સરજાયેલાં છો એમ માની લો. |
જગદીપ : | વિધાતા પર કેવો દુષ્ટ આરોપ ! પછી તેં શું કહ્યું? |
વીણાવતી : | મેં લેખાને પૂછ્યું કે આ વાડી બહારનું જગત્ આ વાડી જેવું જ છે કે કાંઇ જુદી જાતનું છે? એ બોલી કે જગત તો બધે એકસરખું જ છે. ત્યારે મેં કહ્યું કે આ વાડીમાં તો હું એકેએક ખૂણે ફરી છું અને કોઈ પુષ્પ, પલ્લવ, પશુ કે પક્ષીને દુઃખી થવા સરાજાયેલાં દીઠાં નથી.
(હરિગીત) કળિઓ ફૂટીને ખીલતી, જન્મી પતંગો ઊડતાં, |
જગદીપ : | કુદરત તારી આગળ ખરે સ્વરૂપે પ્રગટ થઈ છે અને |
અંક છઠ્ઠો
૧૩૯